સુવિચાર
સવંત્સરી આરાધના કરતા પહેલાં મન-વચન-કાયા થી અનંતના અનંતો
તમારું સન્માન એ શબ્દોમાં નથી , જે તમારી સામે બોલવામાં આવે છે પરંતુ તે શબ્દોમાં છે જે તમારી ગેરહાજરીમાં તમારા માટે બોલવામાં આવે છે... અનંતના અનંતો
જીવન એક આરસી જેવું છે તેના તરફ મલકશો તો મોહક લાગશે, તેની સામે ઘૂરકશો તો તે બેડોળ લાગશે અનંતના અનંતો
તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ અનંતના અનંતો
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે અનંતના અનંતો
વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી અનંતના અનંતો
વિશ્વાસ એવી શક્તિ છે જે માનવીને જીવિત રાખે છે વિશ્વાસનો અભાવ જ જીવનનું અવસાન છે અનંતના અનંતો
સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે
સફળતા એ અન્યો દ્વારા નક્કી થાય છે, જ્યારે સંતોષ આપણા દ્વારા જ નક્કી થાય છે અનંતના અનંતો
જીવનમાં મારું મારું કરીને મરી જવા કરતાં તારું તારું કરીને તરી જવું સારુ..... અનંતના અનંતો