સુવિચાર
સંગીતની સમજણ અને સંગીત માણવું તે સાત પેઢીનાં પુણ્ય થાય ત્યારે આવે છે
જગતના દરેક જીવને ખુશી વહાલી છે જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો
તમે હારી જાઓ એની ચિંતા નથી, પણ હારીને હતાશ ન થઈ જાઓ એની મને ચિંતા છે
કોઈક વખત ખબર નથી પડતી કે જીવનનો રસ્તો કઈ તરફ જઈ રહ્યો છે ? પણ ચાલવાનું ચાલુ રાખો ઈશ્વર તમારી સાથે જ હોય છે
એક મનુષ્ય બીજાના મનની વાત જાણી શકે છે તો માત્ર સહાનુભૂતિથી અને પ્રેમથી, ઉંમર અને બુદ્ધિથી નહીં
દયા એવી ભાષા છે કે જે બહેરા સાંભળી શકે, અંધ અનુભવી શકે છે અને મૂંગા સમજી શકે છે
તમારું દુ:ખ કોઈને ખુશી આપી શકે પણ તમારા હસવાથી કોઈને દુ:ખ ન પહોંચવું જોઈએ
ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે જે દુ:ખનો ઈલાજ નથી તે યાદ કરીને દુ:ખી થવા કરતાં ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પાડ માનીએ
કોઈપણ મનુષ્યના હાસ્ય પરથી ઘણીવાર તેનાં ગુણ અવગુણ અને પ્રકૃતિ પારખી શકાય છે
વેદ વાંચવા સરળ છે પણ , જે દિવસે તમે કોઈની વેદના વાંચી લીધી તો સમજી જજો જીવન સફળ છે!