સુવિચાર
https://m.youtube.com/watch?si=QG_3z3AkoK0gzASE&v=5m_tfA05a7M&feature=youtu.be
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે
આ સંસારમાં મનુષ્યોને કોઈ બીજું સુખ કે દુ:ખ આપતું જ નથી, આ તેના ચિત્તનો ભ્રમ માત્ર છે
https://m.youtube.com/watch?si=tKpxqbpQPzkhfGwD&v=BeKVsjZe1dw&feature=youtu.be
સંયમ અને પરિશ્રમ માનવીનાં બે વૈદ છે
દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદને કાબૂમાં રાખો
માણસ ચંદ્ર લગી પહોંચ્યો પણ પૃથ્વી પરના મનુષ્યના હૃદય સુધી પહોંચવાનું હજી બાકી છે
આત્મવિશ્વાસ સૌથી મોટી મૂડી છે, તેના આધારે ઘણા જંગ જીતી શકાય છે
ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ
દરેક વ્યક્તિ યોગી ના થઈ શકે તો વાંધો નહીં પણ બધાને ઉપયોગી તો જરૂર થઈ શકે