સુવિચાર
સામો ઘા કરવાથી ક્ષણિક સુખ મળતું હશે પણ સામો ઘા નહીં કરવાથી ચિરકાળનું સુખ મળે છે. માટે ડાહ્યા માણસોએ મોટા સુખ ખાતર નાનું જતું કરવું
સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે, જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે
ક્ષમા અસમર્થ મનુષ્યોનો ગુણ છે, તો સમર્થ મનુષ્યોનું ઘરેણું છે
આપણી ખુશીનો સ્ત્રોત આપણી અંદર જ છે, આ સ્ત્રોત અન્ય પ્રતિ સંવેદના દ્વારા વૃદ્ધિ મેળવે છે
કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ
કદીક મુરઝાયેલા ફૂલો ને મન થી સ્પર્શજો, ખીલી ને ખરવું ખૂબ અઘરું હોય છે
વિરાટ આકાશમાં સહેજ આંખ ઊંચી કરીને દર્શન કરનાર વ્યક્તિ જો તેનું દર્શન સાક્ષાત્કાર સાથેનું હોય તો, ક્યારેય અભિમાની બની શકતો નથી
હંમેશાં હસતા રહેવાથી અને ખુશનુમા રહેવાથી પ્રાર્થના કરતાં પણ વધારે જલદી ઈશ્વરની નજીક પહોંચાય છે
બધે જ ગુણની પૂજા થાય છે, સંપત્તિની નહિ પૂનમના ચંદ્ર કરતાં બીજનો ક્ષીણ ચંદ્ર જ વંદનીય ગણાય છે
આપણા દરેકમાં દોષ હોય છે પણ દોષ મુક્ત થવાનો પ્રયત્ન કરવો એ આપણું કર્તવ્ય છે